Tuesday 15 December 2020

International Tea Day

December 15, 2020 0
આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ.

2005 ની સાલ થી ભારત અને બીજા ઘણાં દેશો ચા દિવસ મનાવે છે. ભારત સિવાય, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, મલેશિયા, તાનઝાનીયા અને બીજા ઘણાં દેશ. જોકે, 2019 થી યુ.એન. માં થયેલ ઠરાવ મુજબ 21મી મે ને 'ચા દિવસ' તરીકે મનાવવાનું નક્કી કરેલું. 

આ દિવસ મનાવવા નો મૂળ ઉદ્દેશ્ય, ચા પ્રત્યે જાગૃતિ લાવવા અને ચા ના વેપાર ને દુનિયાભર માં પ્રોત્સાહન મળે એવો છે. ચા નો દુનિયાભર માં બહુ મોટો વેપાર છે. એક આંકડા પ્રમાણે એકલા ચીને ચા નું એક્સપોર્ટ 2.2 અબજ ડોલર જેટલું કરેલું. ભારત માં આ આંકડો લગભગ 7કરોડ ડોલર જેટલો છે.

ચાની મૂળ વાર્તા દંતકથા અને તથ્યના મિશ્રણથી ભરેલી છે અને આધ્યાત્મિકતા અને ફિલસૂફીની પ્રાચીન ખ્યાલો દ્વારા રંગીન છે.

ચાઇનીઝ દંતકથા અનુસાર, ચા ની શરૂઆત કુશળ શાસક અને સમ્રાટ શેન નોંગ વખતે આકસ્મિક રીતે થઈ.  ઉકળતા પાણીમા બગીચામાંથી જંગલી ચાનું ઝાડ તેના વાસણમાં ગયું.  બાદશાહ પીવામાં પાણી પીવામાં ખૂબ જ આનંદ લેતો હતો કે છોડની વધુ સંશોધન કરવાની ફરજ પડી હતી.  દંતકથા છે કે સમ્રાટને તેના સંશોધન દરમિયાન ચા મળી.

ભારત માં ચા ની શરૂઆત 18મી સદી માં બ્રિટિશ કાળ માં થઇ હોવાનું માનવામાં આવે છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની એ ચીન સાથે માં વ્યાપારી સબંધો માં ચા ના વ્યાપાર ને પણ મહત્વ આપેલું. આજે ભારત દુનિયા માં ચા નું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશો માં એક છે. ઉત્પાદન ના 70 ટકા વપરાશ તો દેશ મા જ થઈ જાય છે. 

મારા માટે ચા એટલે એક ઇમોશન છે. મારા દુઃખ અને સુખ બંને ની સાથી મારી ચા. ક્યારેક હું બહુ ખુશ હોઉં ત્યારે, થાકેલો હોઉં ત્યારે, દુઃખી હોઉં, ટેંશન માં હોઉં... કોઈપણ સ્થિતિ માં ચા મારી હમદમ બને. આખા દૂધ ની, આદુ ફુદીનો નાખેલી ચા મળે એટલે બીજુ શુ જોઈએ!! ઓફિસ માં ક્યારેક વધારે કામ હોય ત્યારે અમે સાંજે અડધી ચા પી ને આખા દિવસ નો થાક ઉતારીએ.

ચા પ્રત્યે નું વળગણ મને વારસા માં મળ્યું છે. મારા દાદા, મારા પપ્પા અને ઘર ના લગભગ બધા ચા ના રસિયા. અમારા પરિવાર માં 'ઉષણોદક' ના હુલામણા નામે ઓળખાતી ચા, કોઈપણ સમયે બને. સવારે, સાંજે, બપોરે અને ક્યારેક તો બધા ભેગા મળ્યા હોય ત્યારે અડધી રાત્રે પણ બને. મારા દાદા નો 'ચા બનાવો' એવો ઈશારો સ્પેશિયલ હતો. હાથમાં રકાબી હોય એમ હથેળી આડી રાખી ઈશારો કરે.. કે ગરમ પાણી મેલો 😊.

અમદાવાદમાં અડધી ચા નું ચલણ. અડધી ચ્હા, મોટા મોટા કામ કરવા સક્ષમ છે. અહીંયાની ચાય પર થતી ચર્ચા, પ્રધાનમંત્રી બનાવવા થી માંડી, ટ્રમ્પ આવશે કે નહીં આવે એ નક્કી કરતી હોય છે. દેશ ના વિવિધ ભાગો માં મને ચા પીવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સૌથી વધારે મજા મને વારાણસી ની મારી 13 દિવસ ની યાત્રા દરમિયાન આવેલી. વારાણસી માં કોઈ પણ દુકાન માં ચા પીવો... કોઈ જગ્યા એ નિરાશા ન મળે. અને પાછું તમે ચા ના વખાણ કરો તો ચા વાળો તમને બીજી ચા એમનેમ પીવડાવી દે. 

કોરોના મહામારી ના કારણે ચા પાર્ટીઓ આ વર્ષે ઓછી થઈ. હવે આશા છે કે 2021 માં ફરીથી ચા ની પ્યાલીઓ ટકરાશે  ફરીથી અડધી ચા પર સરકારો, ક્રિકેટ ટિમો, શેરબજાર ના ભાવો નક્કી થશે. આશા રાખીએ નખ્ખોદિયો કોરોના જલ્દી જાય. 😉


સૌ ને આંતરરાષ્ટ્રીય ચા દિવસ ની શુભેચ્છાઓ. 

અહીંયા ચા સાથે ની મારી અમુક ક્ષણો ને કેમેરા માં કંડારેલી છે. 

તમને ક્યાં ની ચા વધારે ભાવે, જરૂર લખજો. 

છેલ્લે....

चा देवी सर्वभूतेषु
स्फूर्तिरूपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै, नमस्तस्यै नमो नमः।

Friday 7 February 2020

शिकारा - मूवी रिव्यू

February 07, 2020 0

कल #Shikara देखी।

यह एक रियलिस्टिक मूवी से ज़्यादा एक लवस्टोरी की तरह देखे तो अच्छा होगा।

फिल्मकारों ने इस मूवी में इतिहास के एक बेहद भयानक प्रकरण का सिर्फ एक छोटासा अच्छा पहलू दिखाया है। वास्तविकता इससे कहीं ज़्यादा भयानक है।

फ़िल्म ज़रूरत से ज़्यादा लंबी है, लेकिन कश्मीर का फिल्मांकन बहुत ही बढ़िया तरीके से किया गया है इसलिए अगर आप मूवी को एक केमरामेन के नज़रिए से देखेंगे तो बोर नहीं होंगे।

विधु विनोद चोपड़ा को फ़िल्म का हर सीन एक पेंटिंग की तरह दिखाने की और फ़िल्म के नायक नायिका को बहुत खूबसूरत दिखाने की महारथ हासिल है। 


फ़िल्म देखने के बाद थोड़े सवाल जरूर उठते है...

मूवी के अंत मे जब मुफ़्ती और अब्दुलाह को थैंक यू क्रेडिट दिया जाता है, तभी मन मे सवाल उठता है कि फिल्मकार किसे धन्यवाद दे रहे है? जो कहीं न कहीं इस भयावह प्रकरण के लिए जिम्मेदार है उनको?

कश्मीर में इतने बड़े पलायन के बावजूद, उस समय की सरकारों ने उसे रोकने के लिए क्यों कुछ नहीं किया? क्या सब हाथ पर हाथ धरे बैठे रहे थे?

खैर, मूवी को मूवी की तरह लेते हुए, कश्मीरी पंडितों को फिरसे उनका आशियाना मील जाए ऐसी कामना करता हूँ।

ईश्वर करे कभी भी, कहीं भी, किसी को अपना घर छोड़ने की स्थिति का सामना न करना पड़े। 🙏🙏🙏

Saturday 11 January 2020

આજકાલ હું કેમ કાંઈ લખતો નથી!!

January 11, 2020 1
આજે મારા એક મિત્ર એ મને સવાલ કર્યો... "આજકાલ તમે કેમ કંઈ લખતા નથી?" 

મિત્ર ની ટકોરે મને આજે લખવા પ્રેર્યો છે. આભાર મિત્ર.

આજ થી લગભગ એક વર્ષ પહેલા મેં મારી છેલ્લી પોસ્ટ લખેલી. 2018 માં બ્લોગ "રિલોન્ચ" કરતી વખતે જ મેં લખેલું કે રેગ્યુલારિટી જળવાય તો સારું. અને ફરી થી એક વાર એ જ થયું. કદાચ મારી બ્લોગ ને પણ એક મોટી પાર્ટી ના નેતા ની જેમ વારે ઘડીયે રિલોન્ચ થવા ની આદત પડી જશે!! 

સોશિયલ મીડિયા અને બ્લોગીંગ નો ફાયદો એ છે કે તમે તમારા વિચાર મુક્તપણે વ્યક્ત કરી શકો છો. ફ્રેન્કલી સ્પીકિંગ, મને સોશિયલ મીડિયા કદાચ પહેલા એટલે ગમતું કે એમાં મારા જેવા વિચારો ને લાઈક કરનાર, મારા પાડેલા ફોટા પર કોમેન્ટ કરનાર મિત્રો મલતા. હજી પણ મળે છે. ભવિષ્ય માં પણ મળતા રહેશે એવી આશા છે. પણ પેલો અર્થશાસ્ત્ર નો (કદાચ) નિયમ છે ને કે દરેક વસ્તુ નો એક તુષ્ટિગુણ હોય છે. હવે સોશિયલ મીડિયા માં એટલી મજા નથી આવતી જેટલી પહેલા આવતી હતી. રહી વાત બ્લોગિંગ ની, તો એના માટે મારા મતે નિયમિતતા અને વિષય નો ઊંડાણપૂર્વક અભ્યાસ ખુબ જરુરી છે. જે બંને મારા માં નથી. હું બહુ ઉચ્ચ અભ્યાસ કરેલો વ્યક્તિ નથી કે મને વાંચન નો પણ કોઈ ખાસ શોખ નથી. હવે જયારે કોઈ વિષય વિષે લખવું હોય તો આ બંને જરૂરી છે. 

ખેર, 2020 માં ફરીથી પ્રયત્ન કરીશ કે નિયમિતતા જળવાઈ રહે. આના માટે મિત્રો ના સૂચનો પણ આવકાર્ય છે. 

તો શરૂઆત કરીયે? 

સૌથી પહેલા દેશ વિષે. સૌ એ માર્ક કર્યું હશે કે છેલ્લા ઘણા સમય થી મેં મારી રાજનીતિક કૉમેન્ટ્સ ઓછી કરી દીધી છે. શરૂઆત 2013 થી થયેલી કદાચ. એ સમયે મને ન ગમતી પાર્ટી નું રાજ હતું. હા, કોન્ગ્રેસ પાર્ટી મને પહેલે થી પસંદ નહોતી. કદાચ એનું કારણ હું જ્યારથી સમજણો થયો ત્યાર થી જ ગુજરાત માં ભારતીય જનતા પાર્ટી નું સાશન જોવું છું એ હોઈ શકે. મારી ઝીંદગી નો પહેલો વોટ પણ મેં ભાજપ ને જ આપેલો. આદરણીય અટલજી તે સમયે ગાંધીનગર ની સીટ પર થી લડેલા. આજે પણ મને એ વાત નો ગર્વ છે કે મારો પહેલો વોટ મેં એમને જીતાડવા આપેલો. અટલજી ના દમદાર ભાષણો નો હું પહેલે થી ફેન રહ્યો છું. એ સમયે સોશિયલ મીડિયા ન હતું છતાં અટલજી ની પ્રસિદ્ધિ શિખર પર હતી. આજે પણ યુટ્યુબ પર એમના સંસદ ના ભાષણો ઘણીવાર જોવું છું. 2018 માં 16 ઓગસ્ટ ના દિવસે દેશે જયારે અટલજી ગુમાવ્યા, ત્યારે સ્વજન ને ખોઈ દીધા હોય એટલું દુઃખ થયેલું. એટલું દુઃખ પહેલા 2015 માં કલામ સાહેબે જયારે અંતિમ શ્વાસ લીધા ત્યારે રડી પડેલો.

હવે 2013 થી મેં સોશિયલ મીડિયા માં રાજનીતિક કોમેન્ટ ચાલુ કરેલી. તટસ્થ હોવા નો દંભ હું જરાય નહિ કરું. મારી બધી કૉમેન્ટ્સ, મારા ભાજપી સ્વભાવ ને ગમે એવી જ હતી. આજે પણ ભક્ત ની શ્રેણી માં મારી ગણતરી થાય એનો મને કોઈ જ અફસોસ નથી. મારા મતે દુનિયા ની કોઈ વ્યક્તિ તટસ્થ હોતી જ નથી. થોડા ઘણા અંશે દરેક વ્યક્તિ ની પ્રિય અને અપ્રિય વસ્તુ કે વ્યક્તિ હોય જ છે. હું પણ એક માણસ છું.. મારા પણ ગામ અણગમા છે જ. 2014 માં જયારે ગમતી સરકાર આવી ત્યારે મને પણ આનંદ થયેલો. આજે પણ સરકાર ના ક્યાંક વખાણ થાય તો મને આનંદ થાય. સરકાર ની ટીકા થાય ત્યારે દુઃખ પણ થાય. સહજ પ્રક્રિયા છે. મને "હું સત્ય ની સાથે રહીશ" એવો ખોટો દંભ કરતા નથી આવડતો. મારા મતે રાજનીતિમાં તમારે The Good , The Bad અને The Ugly માં થી નહિ પણ Bad, Worse અને Worst માંથી જ કોઈ ની પસંદગી કરવાની હોય છે. આદર્શ રાજ નેતા ની કલ્પના એ માત્ર કલ્પના જ છે. એ ક્યારેય હકીકત નહીં બને. 

આજકાલ મારી રાજનીતિક કોમેન્ટ ઓછી થવાનું કારણ એ જ છે કે આજકાલ જે ચર્ચાઓ ચાલી રહી છે, એમાં મારો ઉંડાણપૂર્વક અભ્યાસ છે જ નહીં. CAA , 370, NRC, ટ્રિપલ તલાક વગેરે જેવા મુદ્દા ગહન અભ્યાસ માંગી લે એવા છે. પહેલા ની જેમ મને "few likes" કે "few comments" મેળવવા નો શોખ ઓછો થઇ ગયો છે. બીજું કારણ એ પણ છે કે રાજનીતિક ચર્ચા ઓ ને કારણે છેલ્લા ઘણા સમય થી એવુંપણ થાય કે મિત્રો કે સગાઓ સાથે બિનજરૂરી ચર્ચા માં ઉતરી જવાય અને એના કારણે સંબંધો પર અસર પડે. મારી સાચી મૂડી મારા મિત્રો છે. મારા વિચારો ના લીધે હું મારી મૂડી ગુમાવી દઉં એ મને ન પોસાય. 

આજકાલ CAA  અને NRC નો કકળાટ બહુ ચાલ્યો છે. હવે હું કોઈ કાયદાશાસ્ત્રી તો છું નહિ પણ થોડું ઘણું જે વાંચ્યું છે તેના પરથી એટલું જરૂર કહીશ કે સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ માં કોઈ એક ધર્મ ને બાદ રાખવામાં જરૂર આવ્યો છે પરંતુ એ ચોક્કસ ધર્મ ના લોકો પણ પહેલા જેમ ભારિતય નાગરિકતા મેળવવા ની જે પ્રોસિજર છે એ ફોલો કરી ને ભારત ના નાગરિક બની શકે છે. આખો કાયદો ભારત ની બહાર વસતા અને ભારત માં પાછા ફરવા માંગતા ત્રણ દેશો ના નાગરિકો માટે છે. હવે સમજ માં એ નથી આવતું કે દેશ ની અંદર ના લોકો ને આનાથી શું ખતરો હોઈ શકે!! કોઈ કહે છે એકલા CAA  થી કોઈ પ્રોબ્લેમ નથી પણ CAA અને NRC સાથે આવે ત્યારે મોટી બબાલ થાય એવી છે. સરકારે હજી સુધી સંસદ પટ પર NRC નો મુસદ્દો મુક્યો જ નથી એ પહેલા આવી ધારણા બાંધી લેવી મારા હિસાબે ખોટી છે. આના લીધે દેશ માં જે હિંસા ની ઘટનાઓ બની છે એ ખરેખર ચિંતાજનક છે. સરકાર તરફ થી NRC હમણાં લાવવાનો કોઈ પ્લાન નથી એવો ખુલાસો પણ જરૂરી છે. એમાં થઇ રહેલા વિલંબ ના લીધે પણ સરકાર ની દાનત પર શક જાય છે. 

ઈકોનોમી - એમાં કોઈ બેમત નથી કે દેશની ઈકોનોમી મુશ્કેલી માં છે. આમ જોવા જઈએ તો વિશ્વ ની લગભગ દરેક ઈકોનોમી મુશ્કેલી માં જણાઈ રહી છે. ઉપરથી અમેરિકા, ચીન, નોર્થ કોરિયા, ઈરાન જેવા દેશો ના સનકી શાસકો શાંતિ ડહોળી ને માહોલ ને વધારે ખરાબ કરી રહ્યા છે.  ક્યાંક ને ક્યાંક આર્થિક મોરચે મોદી સરકાર ના પગલાં નિષ્ફ્ળ અથવા તો બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. હું કોઈ ઈકોનોમિસ્ટ નથી એટલે અર્થતંત્ર ને પાટે કઈ રીતે લાવવું એનો રસ્તો સરકાર ને બતાવવા લાયક નથી. પણ આવા મુશ્કેલ સમય માં મારા ઘર નું બજેટ જળવાઈ રહે એવા પ્રયત્નો જરૂર કરીશ. તાજેતર માં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ના પોઝિટિવ આંકડા અર્થતંત્ર માં સુધારો સૂચવે છે. આશા રાખીયે કે 2020 નું વર્ષ ભારત ના અર્થતંત્ર માટે વધુ સારા સમાચાર લઇ ને આવે. આશા એ પણ છે કે CAA અને NRC ના સોશિયલ મીડિયા અને મેઈનસ્ટ્રીમ મિડયા માંના કોલાહલ વચ્ચે સરકાર ની પ્રથમિકતા અર્થતંત્ર ને પાટા પર લાવવાની હશે. હેડલાઈન મેનેજમેન્ટ ની સાથે સાથે પ્રાયોરિટી મેનેજમેન્ટ પણ થતું જ હશે એવો વિશ્વાસ મને તો છે. 

છેલ્લે છપાક અને તાનાજી.  આ લખાય છે ત્યાં સુધી મેં બંને ફિલ્મો નથી જોઈ. આજે તાનાજી જોવાનો પ્લાન છે. મુવી કેવી લાગી એ પણ લખીશ. છપાક જોવાનો હાલ માં કોઈ પ્લાન નથી. એનો મતલબ એ નથી કે એનો મેં બોયકોટ કર્યો છે. ફિલ્મ નું ટ્રેલર આવ્યું ત્યારથી નક્કી કરેલું છે કે આ મુવી ટીવી પર જ જોઇશ. દીપિકા મારી પ્રિય હિરોઈન છે (કાજોલ પછી ની). એનો ચહેરો બગડેલો જોવો એ મારા માટે થોડું મુશ્કેલ છે. એટલે એને મોટા પડદે નહીં જોવું. 

દીપિકા પાદુકોણ JNU માં ગઈ ત્યાર થી #BoycottChhapaak ટ્રેન્ડ થઈ રહ્યું છે. જે મારા હિસાબે બરાબર નથી. જોકે આવા બોયકોટ કોલ ની માત્ર ટ્વિટર અને ફેસબુક પર જ અસર જોવા મળતી હોય છે. ભૂતકાળ માં પણ ઘણી ફિલ્મો ના બોયકોટ કોલ પછી બ્લોકબસ્ટર હિટ થવાના ઉદાહરણ છે. હા, એટલું ચોક્કસ કહીશ કે દીપિકા ના JNU વિઝિટ નું ટાઈમિંગ અનફોચ્યુંનેટલી ખોટું હતું. હવે યોગાનુયોગ હોય કે ગમે તે, પરંતું  કલાકારો પણ દેશ ના નાગરિકો છે. એમને કોઈ પણ મુદ્દે બોલવું કે ન બોલવું, ક્યારે બોલવું, ક્યાં બોલવું એનો અબાધિત અધિકાર છે. પેલા બોયકોટ ના કોલ આપનારા ઓ નો પણ એટલો જ અધિકાર છે. અને એ બોયકોટ કોલ ને માનવો કે નહિ એ નક્કી કરવા નો પણ દરેક નાગરિક નો અબાધિત હક છે. લોકશાહી ની આ જ ખુબસુરતી છે. બાકી ઘણા દેશો માં તો એક માં સજા એટલે થઈ કે એણે  એના સળગતા ઘર માંથી એના સંતાનો ને બચાવ્યા અને એ દેશ ના શાસક ના ફોટા ને ન બચાવી શકી. આપડે એવા નથી. અને થવાના પણ નથી. 

જે હશે તે, 2020 માં દેશ અને દુનિયા માં શાંતિ અને સમૃદ્ધિ બની રહે, દરેક દેશ ના "હેપીનેસ ઇન્ડેક્સ" માં વધારો થાય એવી ઈશ્વર ને પ્રાર્થના કરીયે.

સૌ મિત્રો ને 2020 ની વિલંબિત શુભકામનાઓ.


તા.ક. : ફિલ્મ હેલ્લારો વિષે ની મારી પોસ્ટ બાકી છે. મોડું જરૂર થઈ ગયું છે પણ બહુ જલ્દી લખીશ. એ સિવાય કયા વિષય વિષે મારે લખવું જોઈએ (કે લખવાનું બંધ કરવું જોઈએ ? )  એના સૂચનો પણ આવકાર્ય છે.

NJ.
12th Jan 2020

Tuesday 5 February 2019

મારો આજનો ઉપવાસ

February 05, 2019 0
આજે મેં ઉપવાસ કર્યો.

ઉપવાસ નું નામ સાંભળતાજ, એક ટાઈમ ભૂખ્યા રહેવું, ફરાળ ખાવું, વેફર્સ ખાવી વગેરે યાદ આવી  જાય.પણ મારો આજનો ઉપવાસ થોડો જુદો હતો.

છેલ્લા ઘણાં દિવસ થી પડી રહેલી કડકડતી ઠંડી ના કારણે સવારે ઓફિસ જતાં હું મારુ બાઈક એક મિત્ર ના ઘરે મૂકી દઉં છું  બાદ અમે બસ માં જઈએ. ઠંડી થી બચવા માટે નજીક નું બસસ્ટોપ પસંદ કરવા નું  આ મોટું કારણ છે.

આજે 'કડાકે કી ઠંડ ' માં  મળેલી એટલે મેં વિચાર્યું કે રોયલ એન્ફિલ્ડ ની થોડી માજા લઉં. એટલે આજે લોન્ગ રૂટ પસંદ કર્યો. ઘરે થી નીકળતા મનોમન વિચાર કર્યો કે આજે ટ્રાફિક ના તમામ નિયમો નું પાલન કરું. બસ, આ જ મારો આજ નો ઉપવાસ. હવે ટ્રાફિક ના તો એવા ઘણાં નયમો છે જેની બધા ને ખબર પણ નથી હોતી. મારા માટે 'બધા નિયમો' એટલે સિગ્નલ નું પાલન, નિયત લેન માં ડ્રાઇવિંગ, અને સ્પીડ લિમિટ નું ધ્યાન રાખવું. એવું નથી કે હું નિયમપાલન માં નથી માનતો.. પરંતુ આજે તો નક્કી જ કર્યું કે કોઈ રેડ સિગ્નલ પર ઉભો રહે કે ન રહે... હું એકલો પણ ઉભો  રહીશ. જનરલી સવારે કોઈ રેડ સિગ્નલ ને ગણે નહિ.. પણ આજે મેં એક પણ સિગ્નલ તોડ્યા વગર મારી સફર પૂરી કરી. મંઝિલ પર પહોંચ્યા પછી શહેર માટે કંઈક કર્યા ની ભાવના મન માં  જાગી. જોકે, મારા આ ઉપવાસ માં, હું એકલો ના હતો. સવારે ઓફિસ જવાના ટાઈમે, ચાર રસ્તા પર કોઈ ટ્રાફિક હવાલદાર ન હોય છતાં પણ દરેક સિગ્નલ પર તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે સ્ટોપ લાઈન ની પાછળ ઉભા હોય એ દ્રશ્ય જોઈ ને મને બહુ આશ્ચર્ય થયું. મારી સાથે આટલા બધા 'ઉપવાસીઓ' જોઈ ને ઘણો આનંદ થયો.

તો થોડી વાત કરીયે અમદાવાદ ના ટ્રાફિક ની.

અમદાવાદ એટલે વિચિત્ર ટ્રાફિક માટે કુખ્યાત શહેર. અહિયાં યેન કેન પ્રકારેણ સિગ્નલ માંથી કઈ રીતે ઝડપથી નીકળી જવું, લીલી બત્તી લાલ થાય એ પહેલા કઈ રીતે સામા છેડે જતા રેહવું, એની ટ્રેનિંગ વાહન ચલાવવાની ટ્રેનિંગ પેહલા મળી જતી હોય છે. વિનોદ ભટ્ટ સાહેબે 'અમદાવાદ એટલે અમદાવાદ' માં લખેલું એમ , પગ થી સાઈડ બતાવવાની શોધ કદાચ અમદાવાદ માં જ થઇ  હશે.

હવે આવા 'નો ટ્રાફિક સેન્સ ' વાળી પ્રજા જ્યાં હોય એવા શહેર ની ટ્રાફિક પોલીસ નું કામ કેટલું કપરું હોય એ કહેવાની જરૂર જ નથી. આ નોનસેન્સ પ્રજા ની સાન ઠેકાણે લાવવાનું 'ભગીરથ' કાર્ય છેલ્લા કેટલાક મહિના થી પોલીસ અને AMC મળી ને ખુબ સારી રીતે કરી રહ્યા છે. વિજય નેહરા સાહેબ ની આગેવાની માં ટ્રાફિક ના નિયમો ઘણાં કડક થયા છે. સાથે સાથે સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ મોર્ડર્ન કરવામાં આવી રહ્યું છે. ઠેર ઠેર સીસીટીવી કેમેરા, ઈ-મેમો સિસ્ટમ જેવા નવતર પ્રયોગો થી શહેર ની ટ્રાફિક વ્યવસ્થા સારી એવી કંટ્રોલ માં આવી છે.

હવે કોઈપણ નવી વ્યવસ્થા શરુ થાય ને, એટલે મોટાભાગ ના વાંકદેખાઓ નો પહેલો પ્રશ્ન આવે.. "આ બધું કેટલા દિવસ?" ... થોડા દિવસ પછી જૈસે થે. પણ આવા બડફાઓ ની આ ધારણા ખોટી પડી. જયારે પણ લોકો ને એવું લાગ્યું કે તંત્ર થોડું ઢીલું પડ્યું છે, અને લોકો પહેલા ની જેમ થવા લાગ્યા, તરત જ તંત્ર પાછું સાબદું થયું ને ડબલ ફોર્સ થી ટ્રાફિક નું પાલન કરવામાં લાગી ગયું. આ લખાય છે ત્યાં સુધી તો મને ટ્રાફિક ની વ્યવસ્થા ઘણી સુધરી હોય એવું લાગે છે.

હવે જવાબદારી છે નાગરિકો ની. ગુજરાતી ઓ જયારે વિદેશ જઈ  ને પાછા ફરે ત્યારે ત્યાંની ટ્રાફિક વ્યવસ્થા, ત્યાંની સ્વ્ચ્છતા ના વખાણ કરતા થાકતા નથી હોતા. આપણા ત્યાં આવું શક્ય છે જ નઈ  એવી દલીલ ફક્ત એવા લોકો કરતા  હોય છે જે પોતાના દેશ માં સિગ્નલ પર ચાર સેકન્ડ પણ ઉભા ન રહી શકતા હોય... અથવા ચાલુ ગાડી એ દરવાજો ખોલી ને થૂંક ના ધોધ વહાવતા હોય. આવા લોકો ને વ્યવસ્થા પર આંગળી ઉઠાવવા નો કોઈ અધિકાર નથી. આજે સવારે નાગરિકો માં જવાબદારી નું ભાન થયેલું જોઈ ને ઘણો આનંદ થયો. વધારે ખુશી તો ત્યારે થઇ જયારે પેલા જુવાનિયા.. કે જે ફક્ત મોજશોખ ખાતર સવારે ફરવા નીકળ્યા હોય બાઈક લઇ ને... એ લોકો ને પણ નિયમ પાલન કરતા જોયા.

આશા રાખીયે કે 2019 માં અમદાવાદીઓ ટ્રાફિક ના નિયમ નું પાલન કરવાનું વ્રત લે... શહેર ને બદલવું આપણા હાથ માં જ છે...



Sunday 29 July 2018

Heritage Breakfast @ Chandravilas Restaurant, Ahmedabad

July 29, 2018 2

Me & My Daughter at Chandravilas, Gandhi Road, Ahmedabad

ઘણાં સમય ની અધૂરી રહેલી ઈચ્છા આજે પુરી થઈ. ઘર થી દુર હોવાને કારણે ઘણીવાર નક્કી કર્યા છતાં આળસ ને કારણે જઇ શક્યો. પણ આજે તો Chandravilas ની મુલાકાત લઈ લીધી.

ઘરે ચંદ્રવિલાસ ના ફાફડા જલેબી જોઈ મારા પિતાજી ખુશ થઈ ગયા. એમની જુવાની ના દિવસો માં એમણે મિત્રો સાથે અહીંયા વિતાવેલ ક્ષણો યાદ કરી. 50 પૈસા માં કે 1 રૂપિયા માં દાળ અને ભાત પણ ફેમસ. નાનું ડોલચુ લઈ ને જવાનું.. એટલે એમાં દાળ ભરી આપે. 1965 ની વાત છે.

Kitchen @ Chandravilas Restaurant
ચંદ્રવિલાસ આજના પોશ રેસ્ટોરાં જેવી નથી. સિમ્પલ લૂક, કોઈ કુપન સિસ્ટમ નહીં, કોઈ ઝાકઝમાળ નહીં કાંઈ નહીં. હાઇજિન નું વધારે પડતું ધ્યાન રાખનાર માટે જગ્યા નથી. જોકે, એટલું કઇ ગંદુ પણ નથી. ક્લીન હતું. પણ આપણ ને શુ કે સોફીસ્ટીકેશન નો દંભ ક્યારેક નડી જતો હોય છે અને એટલે આવી સાદી જગ્યા જવાનું ટાળતા હોઈએ છીએ. બાકી જગ્યા અમિતાભ બચ્ચન, સરદાર પટેલ, રાજકપુર જેવી હસ્તી પણ નાસ્તો કરી ને ગઈ છે.

સસ્મિત ચહેરે કાઉન્ટર પર બેઠેલા ભાઈ વેલકમ કર્યું. અને અમદાવાદ ની હેરિટેજ વાનગી ફાફડા જલેબી મેં જ્યારે ઓર્ડર કરી.. ત્યારે ભાઈ રિકવેસ્ટિંગ ટોન માં 'ફાફડા ત્યાં જઈ ને લઈ લેશો ભાઈ?' ... એમ કહ્યું... સાંભળતા 100 વર્ષ થી પણ વધારે જૂનો અમદાવાદી વિવેક ઉડી ને આંખે વળગ્યો.
Yummy!! 

હવે વાત, ફાફડા જલેબી ની. બંને આઈટમ મસ્ત. ઓથેન્ટિક અમદાવાદી ટેસ્ટ. વર્ષો થી ઓશવાલ ની જલેબી ખાધી હતી... જલેબી ઠંડી થાય પછી નહોતી ભાવતી. ચંદ્રવિલાસ ની જલેબી ઠંડી થયા પછી પણ એટલી મધુરી લાગી. અહીંયા ઓશવાલ ની જલેબી નથી સારી એવું નથી કહી રહ્યો પણ નવો ટેસ્ટ બહુ ગમ્યો. ફાફડા સાથે ના પપૈયા છીણ અને કઢી તો બેસ્ટ. એકલા પણ ખાઈ શકો


સાથે પુરીભાજી પણ લીધા. ઝીણા સમારેલા કાંદા અને મરચાં સાથે સુકીભાજી અને પૂરી ખાવાની પણ મજા પડી

વખતે તો પાર્સલ લઈ ને ઘરે નાસ્તો કર્યો. નેક્સટ ટાઈમ ત્યાં જઈ ને સવાર ની ચા થી માંડી ને બપોર ની ગુજરાતી થાળી સુધી નો પ્રોગ્રામ ફાઇનલ

ખરેખર મને તો મજા આઈ... કોઈ ને પણ આવે.



Sunday 1 July 2018

Sanju - Movie Review

July 01, 2018 1

Watched Sanju yesterday.

Important Note: First of all, I am not a big fan of Sanjay Dutt and also I had the same thoughts as many of us had when I heard that a biopic on Sanjubaba is going to be made. I didn't think that Sanju deserves a biopic to be made on him. Having said that, I love some of his movies like Munnabhai Series, Vaastav, Kaante, Sadak, Khalnayak etc.

सुप्रसिद्ध मातापिता की संतान होना अपने आप में एक बहुत बड़ी जिम्मेदारी होती है।  खासकर बॉलीवुड में तो अगर आप सुपरस्टार के पुत्र या पुत्री है तो आपके ऊपर पहली ही फिल्म से सुपर स्टार की इमेज बनाने का बहुत बड़ा प्रेशर होता है।  संजय दत्त भी उसी दबाव का शिकार रहा।  उनकी काफी फिल्मो के फ्लॉप होने का कारण भी शायद यही रहा।  लेकिन कुछ हद तक बाकी स्टार सन्तानो के मुकाबले उन्होंने फिल्म इंडस्ट्री में अपनी एक जगह बनायीं है। सुनील दत्त और नरगिसजी की बिगड़ैल संतान संजय दत्त और विवादों का सम्बन्ध चोली और दामन जैसा रहा है।

जब संजय दत्त का नाम मुंबई बेम धमाकों में आया तब मैं १२-१३ साल का था।  तब तक मेने शायद ही संजू की कोई मूवी देखि होगी।  मुझे आज भी याद है की बम धमाकों में संजय दत्त का नाम सुनकर मेरे पिताजी ने बोलै था "नरगिस और सुनील दत्त साब का लड़का ऐसा निकला?" ... जब आप एक बड़े घराने की संतान होते है तो आप सिर्फ एक व्यक्ति नहीं होते... आप अपने परिवार की एक छवि होते है जिसे लोग देखते रहते है... संजय दत्त शायद यही बात भूल गए थे। उनका सबसे बड़ा अपराध बेम धमाकों के वक़्त घर में राइफल रखना और अंडरवर्ल्ड से दोस्ती करना है।  हालांकि ऐसा करने वाले पहले और आखरी इंसान नहीं थे।  अंडरवर्ल्ड से दोस्ती के किस्से बॉलिवुड में आम बात हो चुकी है।

अब बात फिल्म की...

सबसे पहले जब मेने सुना की संजय दत्त की बायोपिक बन रही है तो मेरा पहला रिएक्शन था " इसके ऊपर क्या बायोपिक !!" लेकिन जबसे संजू का टीज़र और ट्रेलर देखा , तबसे ये फिल्म के लिए मेरी जिज्ञासा और बढ़ गई।  ख़ास क्र के रणबीर कपूर को देख के।  रणबीर कपूर अपने पिता की तरह अपनी जवानी को चॉकलेटी हीरो के रोल कर कर के व्यर्थ करने वालों में से नहीं है वह इस फिल्म से फिर एक बार साबित होता है।  पहले भी उन्होंने अलग किस्म के रोल कर के एक्टिंग के क्षेत्र में अपनी अलग पहचान बनाई है।

फिल्म शुरू होती है संजय दत्त के घर से जहाँ सीधे हीमे उनके साथ मान्यता दत्त दिखाई पड़ती है।  सबको लगता है की अब फ़्लैश बैक में उनकी बाकी दो पत्नियों की स्टोरी जो काम लोग जानते है , हमे देखने को मिलेगी।  लेकिन फिल्म सीधे ले जाती है रोकी फिल्म के रिलीज़ के वक़्त में।  पहले हाफ में संजय दत्त के ड्रग्स के शिकार बनने की कहानी ही दिखाई गई है।  कहीं न कही, लेखक और डिरेकटर ने संजू को ड्रग्स का आदि कम और विक्टिम ज़्यादा दिखने की कोशिश की है।  जितनी बार संजू ने ड्रग्स लिया उतनी बार वो हालात का शिकार दिखाया गया है , जो मेरे हिसाबी से गलत है।  अच्छा होता फर्स्ट हाफ में अगर संजय दत्त के बचपन की कुछ कहानिया भी ले लेते... फिल्म सीधा बिगड़ैल संजू से शुरू होती है... तब मुझे वो ट्रेलर वाला डायलॉग याद आया... "छोटे... आधे से क्यों सुना रहा है?" ... फर्स्ट हाफ थोड़ा लम्बा और कहीं न कही बोरिंग है...

इंटरवल के बाद फिल्म अपनी स्पीड पकड़ती है। थैंक्स टू रणबीर एंड विकी कौशल।

इस फिल्म की जान रणबीर कपूर और विकी कौशल है। फिल्म के पहले फ्रेम से दर्शक को लगता है की रणबीर कपूर नहीं, खुद संजय दत्त ही फिल्म में काम कर रहा है।  हालांकि संजूबाबा जैसी आवाज़ रणबीर के पास नहीं है लेकिन फिर भी रणबीर ने एक ऐसे कैरेक्टर में घुस के अभिनय किया है जो अभी ज़िंदा है और जिसकी सीधी कम्पेरिज़न उसके साथ होने वाली है।  रणबीर कपूर खुद को संजू के कैरेक्टर में ढालने में शत प्रतिशत सफल हुए है।  अच्छा हुआ की उनकी आवाज़ को असली संजू की आवाज़ से दब नहीं किया गया... वरना ये एक मिमिक्री फिल्म लगती।  रणबीर के इस पर्फोर्मंस को देख उनका बेस्ट एक्टर अवार्ड तो पक्का दिख रहा है।

विक्की कौशल , जिन्होंने संजू के गुजराती मित्र का रोल किया है, एक शानदार परफॉरमेंस दिया है।  कैसे एक अच्छा दोस्त आपको सुधर सकता है वह कमलेश के किरदार में देखने को मिला।  कमलेश का वोडका मिले हुई चाय पिलाना, संजू को ये समजाना की उसका पिता उसके लिए कितना चिंतित है , कदम कदम पे उसका साथ देना ये सब सिन में विकी कौशल ने अव्वल दर्जे का अभिनय किया है।

परेश रावल और मनीषा कोइराला ने सुनील दत्त और नरगिस का किरदार भी अच्छी तरह से निभाया।  बहुत लोगों को ये अपेक्षा थी की परेश रावल भी रणबीर की तारा हूबहू सुनील दत्त लगेंगे लेकिन Again ... ये मिमिक्री नहीं थी।  बिगड़ैल संतान और बीमार पत्नी के बिच परेशान होता एक पिता और पति, बेबस होते हुए भी जता नहीं सकता यह परेश रावल ने बखूबी निभाया।  बाप - बेटे का रिश्ता ही अजीब होता है... दोनों एक दूसरे को अपने मन की बात नहीं कह पाते।

फिल्म में लेखक ने संजू के बारे में वही दिखाया है, जो थोड़ा बहुत दुनिया जानती है।  उनकी बाकी दो पत्नियों, उनकी बेटी त्रिशला , एक सुप्रसिद्ध अभिनेत्री का उस ज़माने में तथाकथित अफेयर, संजय दत्त की रिहाई में ठाकरे परिवार द्वारा की गई मदद ... इन सब के बारे में फिल्म में कोई ज़िक्र ही नहीं है।  शायद लेखक और डिरेक्टर किसी विवाद में पड़ना नहीं चाहते थे।  ये सब खामियों के बावजूद राजू हिरानी और अभिजात जोशी ने अच्छी फिल्म बनाई है।  थ्री इडियट्स और मुन्नाभाई सीरीज़ के मुकाबले संजू काफी हद तक वीक स्क्रिप्ट है पर कुछ सिन में हमे राजू हिरानी का मैजिक फिर देखने को मिलता है... जैसे की  संजू की अपने पिता के लिए स्पीच देना, कमलेश और संजू के बीच सुनील दत्त को लेकर वार्तालाप, कमलेश और सुनील दत्त की संजू के प्रति  फ़िक्र,नरगिस का ब्रेकफास्ट टेबल वाला सिन, सुनील दत्त का ट्रैफिक सिग्नल में गाडी का शीशा फक्र के साथ निचे करनेवाला सिन,हिरानी के अलावा और कोई ये नहीं कर सकता।

तो क्या ये फिल्म एक क्रिमिनल को ग्लोरिफ़ाई करती है ? एक हद तक हां... फिल्म में संजयदत्त को इनोसेंट और और हालत का शिकार बताया गया है।  लेकिन रिपॉन्सिबिलिटी भी एक चीज़ होती है... चाहे वो परिवार की इज़्ज़त को दाँव पे रख के ड्रग्स का शिकार होना हो, या कानून को ताक पे रख के घर में प्रतिबंधित हथियार रखना हो... ये सब कर के कोई इनोसेंट नहीं बन सकता। फिल्म को बायोपिक न बोल के... अदालत में संजय दत्त के पक्ष में वकीलों द्वारा की गई दलीलों का फ़िल्मी रूपांतरण कहेंगे तो ज़्यादा अच्छा होगा।  पर चलिए ठीक है... आज के युग में जहाँ रईस , डैडी, वंसअपॉन अ टाइम इन मुंबई जैसी फिल्मे बन रही है तो एक और सही... !! पिता पुत्र के रिश्ते, रणबीर, विकी कौशल और परेश रावल के परफॉरमेंस के लिए ये फिल्म एकबार ज़रूर देखे।

म्यूज़िक... थोड़ा ज़्यादा अच्छा होना चाहिए था... पर्सनली मुझे रूबी गाना पसंद आया।

और हाँ... फिल्म में सोनम भी है...

ओवरआल... A good film after a long time.

I would give 3.5 out of 5.

Wednesday 6 June 2018

BYJU's and Hichki

June 06, 2018 1

ગયા અઠવાડિયે મારી સાથે બે ઘટના બની.

BYJU's  અને હિચકી.

ઘટના એટલા માટે કારણકે બંને એ મને થોડો વિચારતો કરી મુક્યો.

પહેલા વાત BYJU's ની. આ એક લર્નિંગ એપ છે. સોસાયટી માં  એનો કેમ્પ હતો. હવે એ કેમ્પ માં જેણે જેણે ભાગ લીધો હોય એ બાળકો ના ઘરે જઈ ને આ લોકો 'કાઉન્સિલિંગ' કરે. ઇનશોર્ટ, એ લોકો એમની પ્રોડક્ટ ખરીદે એનો પ્રયત્ન કરે.

હવે, એ ભાઈ ને બોલાયા. ઘરે. જનરલી ઘરે તો હું કોઈ માર્કેટિંગ વાળા ને બોલાવતો નથી પણ હવે મેં બોલાવ્યો. અને શરૂ થયું દોઢ કલાક નું કંટાળાજનક સેશન. આટલું લાંબુ લેક્ચર કદાચ છેલ્લે કોલેજ માં સાંભળેલું. જ્યાં આગળ એકજ વાક્ય માં વાત પતે એમ હતી ત્યાં પેલા ભાઈ એ 10 વાક્ય (કે એનાથી પણ વધારે) લીધા.

જોકે, BYJU's ની પદ્ધતિ ઇમ્પ્રેસીવ હતી. વૈજ્ઞાનિક રીતે બાળક ને કેવી રીતે શીખવવું એ ખૂબ સરસ રીતે એ લોકો એ ડિઝાઇન કર્યું છે. કોઈ પણ વિષય , નાના નાના વિડીયો બનાવી ને બાળક ને શીખવવા નો સરસ પ્રયાસ આ કંપની કરે છે. ટૂંક માં કહીયે તો , શિક્ષણ માં જે વ્યવસ્થા અત્યારે છે, એને સુધારવા નું સાહસ (કે દુઃસાહસ?) કરવા ને બદલે , એ લોકો એ વ્યવસ્થા જ કેવી રીતે રસપ્રદ બનાવી શકાય એનાં ઉપર ભાર મુક્યો છે.

રહી, મુદ્દા ની વાત.. BYJU's નાં charges વધારે (કે ખૂબ વધારે) કહી શકાય એટલા છે. દરેક માણસ એફોર્ડ કરી શકે એટલા તો નથી જ. એટલે સામાન્ય માણસ ની પહોંચ ની બહાર છે.

દોઢ કલાક ના બોરિંગ સેશન પછી, હું વિચારતો એટલે થઈ ગયો કે શિક્ષણ વ્યવસ્થા ખરેખર જો BYJU's જેવી થાય તો ઘણી મદદ થઈ શકે એમ છે.

હવે, હિચકી...  ફિલ્મ જોવામાં ઘણું મોડું કર્યું પણ... દેર આયે દુરુસ્ત આયે...

BYJU's અને હિચકી ને સાથે લખવાનું કારણ માત્ર એટલું જ છે કે જ્યાં પેલો માર્કેટિંગ વાળો ભાઈ અને BYJU's ની કાઉન્સિલિંગ ની પધ્ધતિ ફેલ થાય છે ત્યાં હિચકી ફિલ્મ સફળ થાય છે.

દોઢ કલાક ની આ સુંદર ફિલ્મ , ભલે પ્રિડીક્ટિવ છે પણ ખૂબ સુંદર સંદેશો આપે છે. વર્ષો પહેલા ... દો આંખે બારહ હાથ નામની ફિલ્મ માં જેમ પેલા વી. શાંતારામ ખુંખાર કેદિઓ ને સુધારવાનું કામ કરે છે એવુંજ કાંઈક આ ફિલ્મ માં નૈના ના રોલ માં રાની મુખરજી કરે છે.

'There are no Bad Students, There are Bad Teachers' ..  નો સંદેશો દર્શકો ને આપતી આ ફિલ્મ બે કલાક માં એ સમજાવે છે જે દોઢ કલાક માં પેલો માર્કેટિંગ વાળો મને ન સમજાવી શક્યો. એ પણ જરાય બોર કર્યા વગર. સમાજ માં પ્રવર્તતી અસમાનતા, ગરીબ અને અમીર વચ્ચે ની ન પૂરી શકાય એવી ખીણ, મજબૂરી આ બધું ફિલ્મ માં ખૂબ સરસ રીતે રજૂ કર્યું છે.

ગરીબ વિદ્યાર્થીઓ ના ધારદાર સંવાદો , દિલ માં ચોટ કરી જાય એવા છે. નૈના જ્યારે PTM માં કોઈ માતાપિતા નથી આવતા ત્યારે એમને મળવા જ્યારે એ લોકો ના ઘરે જાય છે, એ સીન ખરેખર દાદ માંગી લે એવું છે. પાંચ મિનિટ ના એ દ્રશ્ય માં ફિલ્મકાર આપણ ને સમગ્ર દુનિયા બતાવી જાય છે.

વિદ્યાર્થીઓ માં રહેલી સુષુપ્ત શક્તિ કઈ રીતે બહાર લાવવી, શિક્ષણ ની સાચી રીત કઈ હોવી જોઈએ , સાચું શિક્ષણ ફક્ત માર્ક્સ લાવવા નહીં, જીવનલક્ષી હોવું જોઈએ એ આ ફિલ્મ માં ખૂબ સરસ રીતે દર્શાવ્યું છે. BYJU's વાળા સાથે હું જે બાબતે સહમત નતો થયો... એના પર આ ફિલ્મે મહોર મારી. દરેક વિદ્યાર્થી ને દરેક વિષય માં 'ઉત્તીર્ણ' કરવાને બદલે, કોઈ એક વિષય માં 'નિષ્ણાત' બનાવવા તરફ ધ્યાન અપાય તો કેવું!!

હવે પરફોર્મન્સ ની વાત.... મારા મતે રાની મુખરજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અન્ડરરેટેડ કલાકારો માં ની એક છે. બ્લેક જેવી યાદગાર ફિલ્મ પછી આ ફિલ્મ માં વારેઘડીએ હિચકી ખાતી એક સ્કોલર સ્ટુડન્ટ કે જે ફક્ત ને ફક્ત ટીચર બનવા માંગે છે, એવી એક કોન્ફિડન્ટ યંગ ગર્લ નો રોલ ખૂબ સરસ રીતે નિભાવ્યો છે. નૈના માથુર નો રોલ જાણે રાની માટે જ લખવામાં આવ્યો હોય એવું લાગે છે. ફિલ્મ ના એક દ્રશ્ય, જેમાં પહેલી વાર નૈના ને એની બીમારી પર ગુસ્સો આવે છે... એ ફરી એક વાર બ્લેક ફિલ્મ ની યાદ તાજી કરાવે છે.

આ ફિલ્મ માં છેલ્લે શુ થશે એ દર્શક ને પહેલે થી જ ખબર હોય છે... એ કદાચ એનો માઇનસ પોઇન્ટ કહી શકાય પરંતુ રાની ના દમદાર પરફોર્મન્સ આગળ અને આ પોઇન્ટ ખૂબ નાનો ગણાય.

Overall, a must watch film. હજી સુધી પણ ન જોઈ હોય , તો જલ્દી જોઈ લો. Amazon Prime માં મળી જશે. હવે તો TV પર પણ આવી ગઈ છે.

3.5 stars out of 5.